Story And Love Posts
Wednesday, May 4, 2011
સુખની શોધ ભાગ - ૫
“સો દાડા સાસુના”,”તું તું મૈ મૈ”,”સાસ-બહુ”,”પતિ-પત્ની સાસુ” આવા અસંખ્ય શીર્શાકોથી અસંખ્ય લેખકો દ્વારા સાસુ વહુના સંબંધોને અલગ અલગ રીતે વર્ણવવામાં આવ્યા છે. લગભગ તમામ કિસ્સાઓમાં એક જ વાત વધારે વર્ણવવામાં આવી છે કે આપણા સમાજની સાસુઓ તેમની દીકરી સમાન વહુ પર અત્યાચાર કરે છે.પોતાના વડીલપણનો ભરપુર ફાયદો ઉઠાવે છે અને તેનો ભોગ બને છે બિચારી વહુ.જેમ જેમ સમયચક્ર ચાલતું જાય છે વહુ માંથી સ્ત્રી સાસુ બને છે અને પછી ફરીથી તે જ વહુ જે કહેતી ફરતી હતી કે સાસુ તેને કંદળે છે, હેરાન કરે છે. તે જ હવે તેના વહુને હેરાન કરવા લાગી જાય છે. આમ સાસુ-વહુના સંબંધોને સમય પણ બદલી શક્યો નથી. રંજાડાયેલી વહુ ભુખી સિંહણની જેમ પોતાની વહુ પર ત્રાટકે છે અને સમાજના કહેવા પ્રમાણે વહુઓ બિચારી સહન કર્યા કરે છે. આમ આપણા સમાજની તમામ કોઈપણ અપવાદ વિના બધી જ વહુઓ એવું મને છે કે સાસુઓ વધારે સુખી છે.તમામ તમન્ના રાખે છે કે તે જલ્દીથી વહુમાંથી સાસુ બની જાય અને સાસુ બનીને રાજ કરે.કદાચ આપણા સમાજમાં એવી ત્રુટીઓ છે કે આજ પણ સાસુઓ ખરેખર વહુઓ પર અત્યાચાર કરે છે અને ઘણા અંશે વહુઓ તેનો ભોગ બનીબનીને સહન પણ કરે છે. સમય જતા તેમાં થોડી વધારે ખરાબી આવી ગઈ છે કે હવે વહુઓ પણ સાસુઓ સામે ભિડંત લેવાનું શીખી ગઈ છે અને ત્યારે જ સર્જાય છે તું તું મૈ મૈ અને વચ્ચે ફસાઈ જાય છે બિચારો પતિ. સુખી તો તેમાં સાસુ પણ નથી થતી કે નથી થતી વહુ પણ બિચારો પતિ દુ:ખી થઇ જાય છે અને આવા વચગાળાના ત્રાસથી બચવા માટે તે ઘરથી દુર રહેવાનું પસંદ કરે છે. વહુ પર સાસુ ત્રાસ ગુજરાતી હોય છે. શું એનો મતલબ એવો થાય છે કે તે આમ કરીને સુખી થાય છે. સાસુ ગમે તેટલો ત્રાસ ગુજારે વહુ પર પણ તે કદાપી સુખી રહેતી નથી તે સનાતન સત્ય છે. તેનું કારણ સમય છે. સાસુ પોતાના સમય થતી પ્રક્રિયા એટલે રૂઢિવાદને સત્ય સમજે છે અને તે તેને જ પકડી રાખે છે તેથી તેને આજનું પરિવર્તન આજ આવતું નથી અને તેથી જ તેને વાગોળી વાગોળીને દુ:ખી થયા કરે છે. અહિયા બંનેને સમજવાની જરૂર છે ને બદલવાની જરૂર છે.સાસુને વિચારવું પડશે. સામાજિક પરિવર્તન સમયચક્રનો ભાગ છે.તેને કોઈ રોકી શકતું નથી. તે તો ચાલ્યા જ કરે છે અને તેને અપનાવી લેવામાં જ સુખ છે. અને તેથી તેને પોતાના વહુમાં આવતા બદલાવોમાં ખામીઓ કાઢવાના બદલે તેને અપનાવવી પડશે અને વહુની ખૂબીઓ પર વાહ વાહ કરીને તેને પ્રોત્સાહન આપવું પડશે. વહુ પણ એટલુ સમજી શકે તો સારું કે તેના સાસુમાએ કાંઈ અલગ પ્રકારના સમાજમાં પોતાનું જીવન પસાર કર્યું છે અને તેથી જ તેણીને આજનું પરિવર્તન રાજ ન આવે તે એકદમ વ્યાજબી છે. તેથી જો સાસુ વહુ બધાને સુખી રહેવું હોય તો થોડી સમજણશક્તિમાં વધારો કરવાની જરૂર છે. જરા અઘરું છે પણ તેના વિના કોઈપણ સાસુ વહુ ક્યારેય પણ સુખી થવાના નથી. બસ બન્ને વચ્ચે અણબનાવો અને ઝઘડા સાથે બોલાચાલી થવાના અને આપણા ઘરના વાસનો તુટવાના અને આમાંથી થોડું વધારે થશે તો ઘરનું ભંગાણ થવાનું નિશ્ચિંત છે.
બ્રહ્માંડની અતિ જટિલ રચનામાં સૌથી સુંદર રચના છે આપણી પૃથ્વી. પૃથ્વી પરના તમામ પ્રાણીજગતમાં સૌથી મહત્વનો વંશ બનાવ્યો છે માનવવંશ. તેના જ કારણે પૃથ્વી પર પોતાનું બહુમૂલ્ય જીવન પ્રાપ્ત કરનાર તમામ મનુષ્યનો નૈતિક ધર્મ છે કે તે આ માનવજાતની રખેવાળી કરે અને તેના તે વંશને આગળ વધારે. સામાન્ય ભાષામાં જે માણસ પોતાના આ કર્મને નિભાવવાનું કામ કરે છે. જે માણસ પોતાના આ કર્મ થી પીછેહઠ કરીને સંસારિક જીવન ત્યાગીને પૃથ્વી પર પોતાનું જીવન ગુજારે છે તેને સન્યાસી કહીએ છીએ. સંસારિક જીવન ગુજારવું કંટાળી જાળમાં નગ્ન પગે ફરવા જેવું છે. મનુષ્ય જ્યાં સુધી બધા જ પગલા વિચારીને જાની જોઈને ભરે છે ત્યાં સુધી દુ:ખ રૂપી કાંટા વાગ્યા વિના ગુજારી શકે છે. પણ આખી જીંદગી માણસ પોતાના જીવનમાં દરેક પગલાનું ધ્યાન રાખી શકાતો નથી અને ક્યારેક થાકીને તો ક્યારેક વધારે વિચારીને માણસ થાય ખાય છે અને તેમજ કાંટા સમાન દુ:ખ તેના જીવનમાં ખૂંચી જાય છે.જેમ જેમ મનુષ્ય મોટો થતો જાય છે જાળ સાંકળી થતી જાય છે અને કદમોની સ્થિરતા ઘટતી જાય છે.તેથી આવા કાંટાની પીડાથી બચવા માટે અપવાદિક માણસો કદમો ભરવાના બદલે એક જ જગ્યાએ સ્થિર થઇ જાય છે. તેવા માણસની જીંદગી ત્યાં જ અટકી જાય છે. ફક્ત ઉંમર વધે છે. સામાન્ય ભાષામાં આવા જ માણસોને સન્યાસી કહીએ છીએ. સંસારિક જીવન સુખદુ:ખના જટિલ મિશ્રણોથી ગુંથાયેલું છે તેમાં ક્યારે સુખ મળે અને ક્યારે દુ:ખ મળે તેનો કોઈ ભરોસો નથી. માણસ જે કર્મો પોતાના સુખની પ્રાપ્તિ માટે કરતો હોય છે તે જ કર્મો તેને દુ:ખી કરતા જણાય છે. વળી ક્યારેક અણધાર્યા સુખનો વરસાદ પણ થાય છે. સંસારિક જીવન સંબંધોના ખુબ જ જટિલ ગુંથલી જેવું છે. મનુષ્ય જયારે જન્મે છે ત્યારે તે ફક્ત લોહીના સંબંધો સાથે જ જન્મે છે પણ જેમ જેમ તેની ઉંમર વધતી જાય છે તેમ તેમ તેમાં હૃદયના અતિ લોભામણા દિલ ને ગલગલીયા કરવાના સંબંધોમાં ઉમેરા થતા જાય છે. તેમ સંબંધોની માયાજાળ વધારેને વધારે ગૂંથાતી જાય છે.તેમાં માણસ ફસાતો જાય છે. સંસારમાં આવે ત્યારે માણસને માં-બાપ વધારેમાં વધારે ભાઈ-બહેન,દાદા-દાદી,કાકા-કાકી,મામા-મામી,ફોઈ-ફુવાના સંબંધો હોય છે, પણ ઉંમરના વધતા તેમાં મિત્રો,સ્નેહીઓ અને પછી જીવનસંગીની અને તેના બધા જ સંબંધીઓના સંબંધો ખુબ જ જતીલતાથી ઉમેરાઈ જાય છે. આ બધા સંબંધો મનુષ્યના જીવનને સહજતાથી અને પ્રેમથી ગુજારવામાં મદદરૂપ થવા માટે છે. પરંતુ આ બધા સંબંધોને ટકાવી રાખવા તેટલા જ કઠીન છે. મનુષ્યને જેટલો પ્રેમ મેળવવો હોય તેટલો જ સામે વાળાને કરવો પણ પડે છે. તેમ છતાં હંમેશા એવું નથી થતું કે તમે જેને પ્રેમ કરશે ટ એટમાને એટલો જ પ્રેમ કરશે ઉલટાનું ઉંધુ થાય છે. તમે જેને પ્રેમ કરે અને તે તમને નફરત કરે છે. આવા મળતા આવતા વળતરના કારણે દુ:ખનો સમન્વય થયા કરે છે. ક્યારેક દુ:ખના સમુદ્રમાં ગરકાવ થવું પડે છે તો ક્યારેક સુખના અતિ વિશાળ આકાશમાં મુક્તપણે ઉડવાનો સુનહારો અવસર મળી જાય છે. સમય નામનો અતિ શક્તિશાળી પરિબળ સંસારના લગભગ તમામ માણસોને એટલો તાકાતવાન બનાવી દે છે કે સુખ અને દુ:ખ બંનેને સહન કરવા શશક્ત થઇ ગયો હોય છે. પણ સમય પણ તમામને નથી જ બચાવી શકાતો. તેથી જેનાથી આવા ઉતારચડાવ સહન નથી થતા તેમના ઘણા પોતાની જીંદગી ટૂંકાવે છે. ઘણા પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેસે છે અને પાગલ નામનું નવું નામ પ્રાપ્ત કરે છે. આમાંથી ઘણા એવા પણ હોય છે જે વિચારે છે કે સંસારમાં કહેવા કરતા સન્યાસી થઈને શાંતિથી જીંદગી ગુજારવી સારી છે. શું ખરેખર સન્યાસી માણસ સંસારી માણસ કરતા વધારે સુખી હોય છે? આનો ચોક્કસ જવાબ તો મારી પાસે નથી પણ એટલું ચોક્કસ કહીશ કે જગતનો તમામ માનવ સુખી થવા માંગે છે અને તેમાંથી એક ટકાથી પણ ઓછા સન્યાસી બને છે. તેથી એટલું તો કહી જ શકાય કે ત્યાં પણ સુખ નથી એવું વધારે પડતા વિચારે છે. હું કહીશ કે જે પણ સન્યાસી થાય છે સંસારીના કર્મોથી ભાગીને સુખી થવાનું વિચારે છે તેને તે પણ વિચારવું જોઈએ કે સન્યાસી થતા તેના કર્મોથી મુક્ત થઇ જશે પણ તેની સાથે જ તેને ડગલેને પગલે મદદરૂપ થતા બધા જ સંબંધો પૂર્ણ થઇ જાય છે. તે જગત એકલો થઇ જાય છે, તેની શારીરિક કે માનસિક સમસ્યાઓને સાંભળનાર કે તેમાં મદદ કરનાર કોઈ રહેતું નથી ત્યારે તેને બરાબર નો મૂંઝારો થાય છે અને તેની પાસે પ્રભુને પ્રાર્થના કરવા સિવાય કાંઈ વધતું નથી. આમ સન્યાસી કે સન્યાસી કે સન્યાસી કોઈ પણ સુખને પ્રાપ્ત કરતુ નથી.
આમ આપણી અત્યાર સુધીની ચર્ચાના અંતમાં હું એમ જ કહીશ કે સુખ દુ:ખ કોઈ સીમાંચીન્હોમાં બંધાયેલા નથી કે આમ કરવાથી, ત્યાં જવાથી, તે મળવાથી, આની પ્રાપ્તિથી વગેરે વગેરેની પ્રાપ્તિ થાય. સુખની શોધ જો આ સીમાંચીન્હોને આધારે કરવામાં આવશે તો આપણા બધાની કમર અને ઢીંચણની ગાદીઓ પગના તળિયા,મકાનના નળિયા વગેરે ઘસી જશે.માથાના વાળ સફેદ થઈને ખરી જશે, ધનભંડાર માલમિલકતના ભંડાર ખાલી થઇ જશે પણ કોઈને પણ સુખની પ્રાપ્તિ થવાની નથી. હું અને તમે બધા જ અતિ સારી રીતે જાણીએ છીએ કે આમ કરવાથી આપણને સુખ મળવાનું નથી પરંતુ કુદરતની માયાજાળ એવી બનાવેલ છે કે ખુબ જ સારી રીતે જાણવા હોવા છતાં હું અને તમે સઘળા તેવા જ ભ્રામિક સુખના પાછળ બરબાદ થઈએ છીએ. હે ભગવાન મને મારા સંસારિક મિત્રોને સદબુધ્ધિનો સંચાર કરો જેથી અમને સુખ ક્યાં છે તેની સાચી ઓળખાણ થાય અને અમે આમ ગમે ત્યાં ભાગમ ભાગ કરવાનું માંડી વાળી. સુખ આપણા અંતરની અનુભૂતિ છે. તેને આપણે બહારિક માયામોહથી જ ખોજી શકીએ. તમામ માણસનો આત્મા અલગ અલગ પ્રકારથી સુખ અનુભવે છે. આપણે આપણા આત્માના અવાજને સાંભળીને તેને સંતોષીને પોતે સંતોષ માનતા શીખી જશું તો સંસારમાં બધું જ સુખદાયી લાગશે. પણ જો આપણે બીજાના વિચારોને આપણા આત્મા પર બોઝ બનવા દેશું તો આપણે ખુદ તો દુ:ખી રહેશું પણ બીજાને પણ દુ:ખી કરશું. અત્યારે આપણો સમાજ આજ દ્વિધાથી ઘેરાયેલો છે. બધા જ માનવી પર બીજાની ઈચ્છાઓને પૂર્ણ કરવાનો, બીજાના સુખમાં સુખી થવાનો ફરજીયાત બોઝ છે. તેથી આપણે અને આપણો સમાજ દુ:ખના સાગરમાં ધીરે ધીરે ગરકાવ થઇ ગયા. સુખની શોધ પરના મારા આ વિચારોને વાંચનાર તમામ વાચકોને નમ્ર વિનંતી છે કે તમારા મંતવ્યો આવકાર્ય છે. મારી ભૂલચૂક સુધારીને વાંચવું. મેં મારા વિચારો વ્યક્ત કર્યા છે. હું ખોટો પણ હોઈ શકું. જો ખોટો હોઉં અને કોઈના પણ આત્માને ઠેસ પહોંચે તો મોટા મનથી મને માફી આપશો તેવી મને આશા છે.
--------------------------------------------------અસ્તુ:------------------------------------------------
--ઝાલોડિયા અલ્કેશ
Tuesday, May 3, 2011
સુખ ની શોધ ભાગ - ૪
આપણા ભારતીય સમાજમાં મનુષ્યના જીવનનો સૌથી મોટો પ્રસંગ તેના પોતાના લગ્ન ગણી શકાય.તેથી મનુષ્યના જીવનમાં લગ્નને પ્રાધાન્ય આપવામાં આવે છે. છોકરો છોકરી જવાન થાય ત્યારે તેના મનમાં લગ્ન કરવાની ઘેલછા જાગી ઉઠે છે. જ્યાં સુધી તેના લગ્ન નથી થતા ત્યાં સુધી તેના મનમાં સપનાના સમુન્દારો લહેરો કરતા હોય છે. મારો અથવા મારી જીવન સંગીની/સાથી આવી/આવો હશે તેના અવનવા વિચારોથી ઘેરાયેલો રહે છે. તે સમજે છે કે તેના લગ્ન થશે એટલે તે ચોક્કસ પણે સુખી થઇ જશે તેને જેમ જન્નત મળી જશે. તે સ્વર્ગમાં હોય તેવો તેને અહેસાસ થશે. શું ખરેખર જેના લગ્ન થઇ ગયા હોય છે તે કુંવારો કરતા વધારે સુખી હોય છે? આ મુદ્દો જો છેડવામાં આવે અને કોઈ પરિષદ રાખવામાં આવે તો હું દવા સાથે કહી શકું કે તમામ કુંવારો અને પરણેલા પોતાના મંતવ્યો સાથે ચોક્કસ ભાગ લેશે. આપનો સમાજ આજ પણ એવી માન્યતાઓ અને રુઢીઓથી ચાલી રહ્યો છે કે જેમાં તમામ માનવીઓનું પરણવું ફરજીયાત છે. તમારી મરજી હોય કે ના હોય. આજ રૂઢિવાદના કારણે જો કોઈ માણસ પોતાની મરજી થી કે સમાજની પોતાની ખામીઓથી કુંવારો રહી જાય છે અથવા તેને પોતાની જીવનસાથી મળતો નથી તેને સમાજ માં તુચ્છ હલકી નજરોથી જુએ છે. તેની કોઈ આબરુ અથવા સાખા રહેતી નથી. જ્યાં સુધી માણસ લગ્ન કરવા લાયક નથી થતો અથવા લગ્નની ઉંમરનો છે પણ લગ્ન નથી થયા એવા માણસ ને સમાજ કુંવારો/કુંવારી કહે છે. પણ આજ માણસના લગ્ન નથી થયા હોતા કોઈ કારણોસર અને તેની ઉંમર થોડી વધારે હોય તો તેને હાસ્યાસ્પદ ઉદ્દગારો કહે છે, આ તો વાંઢો છે. વાંઢો હોઉં આપણા સમાજમાં એક કલંક જેવું છે. એના જ કારણે માણસ સમય જતા જો તેને યોગ્ય પાત્ર ન મળે તો પણ પોતાની પસંદને એકબાજુ રાખીને પણ લગ્ન કરવા તૈયાર થઇ જાય છે. તેને વાંઢા રહેવા કરતા પોતાની પસંદ અને યોગ્યતાને મોભારે મુકીને પણ પરણી જવાનું વધારે યોગ્ય લાગે છે. તેને લાગે છે કે તે પરણ્યા પછી વધારે સુખી થઇ જશે. તેમજ તેને યોગ્ય પાત્ર મળી જાય છે તો એપણ સપના જોતો હોય છે કે પરણ્યા પછી પોતે સુખી થઇ જશે. છોકરો વિચારતો હોય છે કે તેને તેની ભાવી પત્ની પાસેથી પુષ્કળ પ્રેમ મળશે. બંને પ્રેમથી હળીમળીને જીવન ગુજારીશું. તેની પત્ની આવી જતા તેને સારું સારું રાંધીને ખવડાવશે,તેના અડધાથી વધારે કામ તે કરી લેશે, તેની ચિંતાઓમાં ઘટાડો થશે વગેરે વગેરે. તેવી જ રીતે કુંવારી છોકરીઓ પણ આવાં જ તીવ્ર સપનાઓ જોતી હોય છે.તેને લાગતું હોય છે કે તેને મનનો માણીગર મળી જશે. જે તેને પોતાના બધા જ સપનાઓ પુરા કરાવશે. તેના પિતા જે સૂખ તેને ન આપી શક્યા તે બધા તે પુરા કરશે વગેરે કાગેરે. તેથી જ આવા જ સપનાઓની મોહમાંયાની જાળમાં ફસાઈને બધા જ માનવીઓ લગ્નના પવિત્ર ગણાતા સામાજિક કે આત્મીય , મને ખબર નથી , એવા સંબંધમાં બંધાવાનું પસંદ કરે છે.( તમને જણાવી દઉં કે હું પણ આવા જ મોહનો શિકાર છું અને ટૂંક સમયમાં લાગ્નગ્રંથીમાં જોડાવાનો છું. પણ હજુ સુધી આ બાબતે નસીબદાર છું મને મારી મનપસંદ એવી જીવનસાથી મળી છે.) તે જ માણસ જે પરણીને સુખી થઇ જવાના સપના જોતો ફરે છે તે પરણ્યાના બીજા જ દિવસથી કહેતો ફરે છે કે કુંવારા હતા તો સારું હતું. પરણવાની તૈયારીમાં હોય તેવા માણસને પરણેલા માણસો ડગલેને પગલે હાસ્યાસ્પદ રીતે કહેતા હોય છે , એ ભાઈ સમજી જા પરણીને કાંઈ લેવાનું નથી. અમારી બધાની હાલત તને નથી દેખાતી કે તું પણ એ જ ભૂલ કરવા જી રહ્યો છે. હજુ સમય છે સમજી જા અને લગ્ન કરવાનું માંડી વાળ.આવાજ મંતવ્યોને રજુ કરતી એક કરતા વધારે રમુજી ટી.વી. સીરીયલો આપણા ટી.વી. ચેનલો પર અવાર નવાર જોવા મળે છે. દાખલા તરીકે પરણ્યા એટલે પતિ ગયા. મારો કહેવાનો મર્મ એટલો જ છે કે જો પરણીને માણસો સુખી થતા હોય તો પરણેલા ના મોઢેથી આવા શબ્દો તથા કોઈ લેખકોની કલમેથી આવા નાટકો અને સીરીયલોના એપિસોડ ના લખાયા હોય.થોડુંક વિસ્તારથી લઈએ તો કુંવારા માણસ એકલો છે. કદાચ તેને પોતાના સઘળા કામો જાતે કરવા પડતા હોય. તેને પોતાના જીવનસાથીની ઝંખના થતી હોય પણ તે મુક્ત છે. તે પોતાની જિંદગીના તમામ નિર્ણયો પોતે પોતાની ઈચ્છા મુજબ લઇ શકે છે. જેનાથી તેને પોતાને આનંદ થાય છે. પછી ભલે તેનો નિર્ણય ખોટો હોય. તેને રોકવા ટોકવા વાળો/વાળી કોઈ નથી હોતું. પરંતુ જયારે તે જ માણસ પરની જાય છે પછી તેને પોતાના કોઈ પણ જાતના નિર્ણયો લેતા પહેલા તેના જીવનસાથીનું ધ્યાન રાખવું પડે છે.પોતે લીધેલા પોતાના ઇચ્છુક નિર્ણયો ડગલે ને પગલે બદલવા પડે છે. જેનાથી તેને ચોક્કસ પણે દુ:ખ થાય છે. પણ લગ્ન જીવનમાં ભંગાણ ન આવે તે માટે તેને પોતાની ઈચ્છાઓનું વારંવાર સરેઆમ બલિદાન આપવું પડે છે. મોટા ભાગના કિસ્સાઓમાં જોઈએ તો લગ્ન ની સાથે માણસ પોતાની સ્વાભાવિક શૈલીનો રહેતો નથી. જેમ પુનર્જન્મ થતો હોય તેમ લગ્ન પહેલાનો અને લગ્ન પછીનો માણસ બંને ભિન્ન ભિન્ન છે. ફક્ત તેનું નામ જ તે છે. તેની ઓળખ એ જ છે. તેનું શરીર એ જ છે. પણ તે તે રહેતો નથી. તેમ છતાં માણસ લગ્ન પછી, લગ્ન પહેલા જેમ હોય તેનાથી મોટા ભાગના કિસ્સાઓમાં દુ:ખી જોવા મળે છે. જે માણસ લગ્ન પછી પોતાની જાતને પોતાના જીવનસાથીના અનુરૂપ બદલાતો નથી તેનું જીવન લકડથકડ બોઝ રૂપ બની જાય છે. તે તેમાંથી પર પડવાની રાહ જોતો હોય છે. તેવા માણસો ઘરથી વધારે બહાર સુખી રહે છે. આદિ અવળી લતે ચડી જાય છે. વ્યસની બની જાય છે. પોતાના લગ્ન જીવનને વ્યવસ્થિત શાંતિથી ચલાવવા માટે પોતે પોતાનું જીવન બદલી નાખે છે. કજિયા અને કંકાસ સિવાય કાંઈ વધ્યું નથી હોતું. આવા કિસ્સાઓથી બહુ ઓછા અપવાદ છે. માણસનું જીવન તનાવપૂર્ણ છે પણ તેને દુનિયાનું તમામ ટેન્શન જેટલું હેરાન નથી કરતુ તેટલું તેના લગ્ન જીવનને શાંતિથી ચલાવવાનું તનાવ હોય છે.મીરાંબાઈની જેમ ઝેર તો પીધા જાની જોઈને એવું સમજી સમજી જીવતો હોય છે.અંતમાં એક હિન્દી ફિલ્મનું ગીત છે જેના બોલ કાંઈ એવા છે કે , શાદી હૈ દિલ્હી કા લડ્ડુ, જો ખાયે પસતાયે જો ના ખાયે વો પસતાયે. તે બરાબર સાચું જણાય છે. તમામ ચર્ચાનો નિષ્કર્ષ એ જ છે કે પરણીને સુખી થઇ જવાય છે તે ખોટી માન્યતા છે.
બ્રહ્મદેવના આ બ્રહ્માંડમાં કોઈ પણ સજીવનું મનુષ્ય અવતારમાં અવતરવું તે ઈશ્વર નું બહુમૂલ્ય વરદાન છે. તે પછી સ્ત્રી થઈને જન્મ મળે કે પુરુષ તરીકે બધું બરાબર જ છે પણ જો મારા વિચાતો પ્રમાણે ચાલીએ તો સ્ત્રી હોવું વધારે મૂલ્યવાન ગણાય. કેમ કે તે જ બીજા મનુષ્ય ને ધરતી પર જન્મ આપી શકે છે,પુરુષ કેટલો પણ ગુણવાન હોય , ગમે તેટલો પ્રભાવશાળી હોય પણ તે બીજા મનુષ્યને તો જન્મ ન જ આપી શકે. મારા વિચારો થી શું થવાનું હતું? આપણા સમાજનું ઘડતર એવી રીતે થયું છે કે જેમાં સામેલ લગભગ સઘળી સ્ત્રીઓ વારંવાર વિચારે છે કે હે ભગવાન મને પુરુષ બનાવી હોત તો સારું હતું. આપણા સમાજ ની રચના એવી રીતે છે જેમાં પુરુષને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે.આવું કોને કર્યું છે તે તો હું જાણતો નથી પણ અનંતકાળથી આજ પ્રણાલી ચાલી આવે છે અને સમાજ પુરુષ પ્રધાન છે. ઇતિહાસ માં, શાસ્ત્રોમાં, પુરાણોમાં, ગ્રંથોમાં બધે જ પુરુષોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. તે જ પ્રથા આજ પણ ચાલી આવે છે. આજે પણ આપનો સમાજ પુરુષ પ્રધાન છે. પણ આજના આ ઘોર કળીયુગમાં હવે સ્ત્રીઓને આ હજમ થવાનું બંદ થવા લાગ્યું છે. પુરુષોને પ્રાધાન્ય છે તે વાત ને યાદ કરીકરીને તેણીઓના પેટમાં સતત દુખ્યા કરે છે અને તે પોતાને દુ:ખી મહેસૂસ કર્યા કરે છે. આપણા સામાજિક ઠેકેદારો અને સરકારના રચયીતાઓને પણ જેમ મગજમાં સળવળીયા કીડાં ચડી ગયા હોય તેમ સમાજને સુધારવાના સુવિચારો સાથે સુત્રો રજૂ કરે છે, સ્ત્રી પુરુષ એક સમાન. હું તો ફક્ત એટલું જ કહીશ કે જેને આવા સુત્રોચ્ચાર રજુ કર્યા છે તેનો કહેવાનો હેતુ એકદમ સાચ્ચો અને શુદ્ધ સાત્વિક છે પણ તેને જે રીતે સમજવામાં આવે છે તે એકદમ ખોટો છે. સ્ત્રી અને પુરુષ બંનેની કોઈ પણ કાળે સરખામણી ન થઇ શકે. બંને એકદમ ભિન્ન છે.બંનેની અલગ અલગ અને બહુમુલ્ય કિંમત છે. મને તો એ નથી સમજાતું કે ક્યાં હેતુથી અને શું કરવા બંનેને સમાંતર કરવા માંગે છે. પણ મારા ન સમજવાથી શું થાય આજની સ્ત્રીઓ પોતાને પુરુષો સાથે સરખાવવામાં અથવા તેમના કરતા પ્રભાવિક સાબિત કરવામાં રસ ધરાવે છે. એમાં પણ જે થોડું ઘણું અભ્યાસ કરી જાય છે તેનું સામાજિક ગણિત વધારે ખરાબ થતું જાય છે. જેટલું સ્તરો વધારે અભ્યાસ કરે છે એટલો જ વધારે બરાબરી તે પુરુષો સાથે કરવા લાગે છે. તે સમજવા લાગે છે કે પુરુષો કરતા જરાપણ કમ નથી. તે કેમ સમજતી નથી કે ભણતર પોતાનું જીવન સુધારવા માટે હોય છે, નહિ કે પોતાની સાથે તુલના કરવા માટે. પોતાની તુલના પુરુષો સાથે કરીકરીને તેના સમાન થવાની ઘેલછા સાથે તે પોતે સ્ત્રી છે તેના કુદરતી રીતે અલગ કર્મ ધર્મ છે તે ભૂલી જાય છે. અને હું અને તમે બધા જાણીએ જ છીએ કે આવી તમામ ભણેલી પણ અભણ સ્ત્રીઓ દુ:ખના સમુદ્રમાં ગરકાવ થતી જણાય છે. થોડાક મુદ્દાઓનું વર્ણન કરું તો આજે સ્ત્રીઓ પોતાના પરંપરાગત વેશભૂષાને ત્યાગીને પુરુષોના સમાન પેન્ટ, શર્ટ, ટીશર્ટ પહેરવા લાગી છે. પુરુષોની જેમ બાઈક,ગાડી વગેરે ચલાવે છે. પુરુષોના સમાંતર તેમના જેવા જ કામ કરે છે. પુરુષોની જેમ અને જેટલા જ પૈસા કમાવાની હોડ લગાવે છે વગેરે વગેરે ઘણું બધું. મને આવા બધા પરિવર્તનોથી કોઈ વાંધો નથી પરંતુ આ પણ એ ભ્રમ જ છે કે આવું બધું કરવાથી સ્ત્રીઓ સુખની અનુભૂતિ કરે છે.એકબીજાની અથવા બરાબરી કરવાની હોડ માં આજે સ્ત્રીઓ એટલી બધી આગળ નીકળી ગઈ છે કે તેમના માંથી સ્ત્રીત્વ ગુમ થવા લાગ્યું છે. તેમની વિચારશૈલી એટલીહદે બદલી ચુકી છે કે આજે તેઓ એવું વિચારતી થઇ ગઈ છે કે સ્ત્રીને મળેલ સૌભાગ્ય વરદાન જેના લીધે માતા બની શકે છે, પોતાના સંતાનને પોતાના ઉદરમાં રાખીને નવ મહિના સુધી પોતાના લોહી અને પ્રેમથી સિંચન કરે છે. તે જ વરદાન આજે તેને કાંટાળું લાગવા લાગ્યું છે. નવ મહિના પોતાના પેટમાં રાખીને તેને જન્મ આપવાનું સૂખ તેને આજના યુગમાં દુઃખદાયી સમય લાગે છે. તે કહેવા લાગી છે કે સંતાન મારું અને મારા પતિનું બંનેનું છે, જન્મ્યા બાદ તેના નામ પાછળ તેના પિતાનું નામ લાગશે તેમ છતાં નવ મહિના તેને તેના પેટમાં ઉછેરવાનું? આવાજ વિચારશૈલીના કારણે “સરોગેટ મધર” એટલે કે એવી માતા અથવા સ્ત્રી જે પૈસા માટે કોઈબીજા માતા – પિતાનું સંતાન તેના પેટમાં ઉછેરે છે અને તેનો જન્મ આપે છે. તો આપણા સમાજમાં જન્મ થયો છે. જન્મ આપ્યા બાદ પણ માતાનું કામ પૂર્ણ નથી થતું. બાળકને જયારે ખરેખર માતાના વ્હાલ, પ્રેમ હૂંફની જરૂર પડે છે તેવા સમયે તે આધુનિક માતા પોતાના સંતાનને ઉછેરનું કામ કોઈ ભાડુતી માતા અથવા આયા બેનના હાથમાં સોંપીને પૈસા કમાવવા માટે નીકળી જાય છે. કોણ જાણે તેને પોતાના સંતાનને મુકીને શું કમાવા જેવું હોય છે. આમ તમામ ચર્ચાનો અર્થ એ જ છે કે આજની સ્ત્રી પોતે પુરુષ હોત તો સારું હતું, તો પોતે સુખી હોત એવા ભ્રમમાં ખોવાઈ ગઈ છે.તે કેમ નથી સમજતી કે આપણા સમાજમાં તમામ જવાબદારીઓનો ટોપલો પુરુષો પર ઢોળેલો છે. શારીરિક કે પછી માનસિક તમામ કપરા કામ પુરુષોના ભાગમાં આવ્યા છે. કુદરતી રીતે પુરુષોનું ઘડતર એવી રીતે થાય છે કે તે આવા કામ કરી શકે તેમ છતાં તેના તનાવમાં તેના માથાના વાળથી લઈને ઢીંચણની ગાદીઓ શુદ્ધા ઘસી જાય છે તોય સ્ત્રીઓને લાગે છે કે પુરુષો સુખી રહે છે. હે મારી માતાઓ, બેનો, ભાભીઓ પોતાની અંતરની આત્માથી વિચારો અને કુદરતે તમને જે કામ માટે નિર્ધારિત કર્યા છે તે કામને સાચું અંજામ આપો અને સમાજને સુંદર બનાવો. તેનાથી જ તેમને અને તેમના વંશજો તથા પરિવારને સૂખ પ્રાપ્ત થશે.
--ઝાલોડિયા અલ્કેશ
Saturday, April 30, 2011
સુખ ની શોધ ભાગ - ૩
જ્યારથી આં સજીવ સૃષ્ટિનો ઉદ્દભવ થયો છે ત્યાથી ઘણી વાતો સનાતન સત્ય છે કે દરેક સજીવ પ્રાણીને જીવવા માટે હવા, પાણી ની જરૂર પડે છે, આપણે આપણી જાત ને એટલે માનવજાત ને કુદરતે બનાવેલ સજીવોનામું સૌથી મહત્વપૂર્ણ સજીવપ્રાણી માણીએ છીએ. આપણે હવા, પાણી ની જરૂર પડે છે,હવા, પાણીની સાથે સાથે આજકાલ ભણતર પણ માનવને જીવવા માટે અનિવાર્ય થઇ ગયું છે. આજે તમે દુનિયાના કોઈ પણ પ્રાંત ના કોઈ પણ મનુષ્યને પૂછીએ તો બધા પાસેથી એક જ વાત જાણવા મળશે કે ભણતર વિનાનું જીવન નકામું છે. ભણવું તો પડે જ. આજના જમાનામાં અભણ માણસને જાનવર સમાન ગણવામાં આવે છે. આવી બધી માન્યતાઓનો એક જ મતલબ છે કે આજકાલ બધાનું માનવું છે કે ભણેલો માણસ સુખી થાય છે. આજકાલ જન્મેલા મનુષ્ય સ્ત્રી હોય કે પુરુષ પર એટલું બધું દબાણ હોય છે કે ના પૂછો વાત. હજુ મા ના પેટ માં હોય છે ત્યાં જ બધા કહેવા લાગે છે કે જો છોકરો થશે તો ભણીને ડોક્ટર બનાવવો અથવા એન્જીનીયર બનાવવો છે. ભણવા માટે ગમે તેટલો ખર્ચો કરવો પડે તો કરવો છે પણ એને પુરો ભણાવવો છે, છોકરી આવશે તો એરહોસ્ટેસ બનશે વગેરે વગેરે. બાળક પોતાના મા ના પેટમાં જ ભણી ભણીને આવું બનવાનો બોઝ મહેસુસ કરવા લાગતો હોય હશે. આજના આ ઝડપી યુગમાં માણસના જીવનનું હજુ માંડ માંડ ૩-૪ વર્ષ જતું હોય આ દુનિયાના ત્યાં તેના માતા-પિતા તેના જીવનને સુખી બનાવવા માટે તેને ભણવા બેસાડી દેશે. આજકાલ ભણતર આગળ પણ ચાલે છે અને પાછળ પણ ચાલે છે. પહેલા એટલે આજથી ૧૦ વર્ષ પહેલા ભણવા બેસતા ત્યારથી ધોરણ પેલું કહેવાતું. આજકાલ તો જુનિયર કે.જી., સીનીયર કે.જી. , અને પછી ક્યારેક પેલામાં પહોંચતા પહોંચતા બાલમંદિર પણ આવી જાય અને પછી ધોરણ એક ચાલુ થાય. આમ આજકાલ આ જમાનામાં હજુ છોકરું ડાબો-જમણો પણ માંડ માંડ જણાતું હોય ત્યાં ભણવાનું ચાલુ થઇ જાય છે. ત્રણ વર્ષના છોકરાને વળી પોતાના જીવન પાસેથી શું આશા હોય? તેમ છતાં માં – બાપ અને આજના યુગમાં આવેલા પરિવર્તન ને કારણે તે મહેજ ત્રણ વર્ષની ઉમરે ભણવાનું ચાલુ કરી દેશે. તેમાં પણ ઓછું પડતું હોય તેમ છ કલાક સ્કુલ માં ભણ્યા ઉપરાંત ઘરે આવીને પાછો ટ્યુશન જવાનું અને ત્યાંથી આવ્યા બાદ ઘરે પાછા સ્કુલ અને ટ્યુશન નું હોમવર્ક કરવાનું. જે મમ્મી કામ કરતી કરતી થાકેલી પાકેલી પરાણે પરાણે ગુસ્સેથી કરાવતી હોય અને તેમાં છોકરાને ખબ રના પડે અથવા તે ધ્યાન ના દે તો વચ્ચે વચ્ચે થોડો ઘણો મેથીપાક પણ ખાતો જાય. આમ રતન વર્ષ ની વયે માણસ ભણવાનું ચાલુ કરે છે અને મોટા ભાગની પોતાની ઈચ્છા વિરુદ્ધ ભણે છે. ત્યાંથી પ્રાથમિક, પછી માધ્યમિક , અને ૧૨મુ બોર્ડ. અધધધ ૧૨માં ના બોર્ડ માં સારા ટકા લાવવા માટે આજ કાલ છોકરો રાતદિવસ એક કરી નાખે છે.સારી સારી મોંઘીદાટ હાઇસ્કુલમાં એડમિશન લઈને માં-બાપ થી દુર રહીને કોઈ હોસ્ટેલ માં રહેવાનું પછી જે મળે તે ખાવાનું.આખો દિવસ સ્કુલ ટ્યુશન અને પછી મોડી રાત સુધી વાંચવાનું. સવારમાં વહેલા ઉઠીને વાંચવાનું. આમ આજકાલ ફક્ત ૧૨માં ધોરણમાં સારા ગુનો પ્રાપ્ત કરવા માટે તનતોડ મહેનત કરવાની. પછી જો સારા માર્ક્સ આવે તો એન્જીનીયર અથવા ડોક્ટર કરવાની અને ન આવે તો માં- બાપ ની ગાળો ખાવાની. સારી જગ્યાએ એડમિશન મળી જાય તો વળી પાછું ૪ -૫ વર્ષ માટે માં – બાપ થી દુર કોઈ કબાડી ખાના જેવી હોસ્ટેલમાં જઈને રહેવાનું અને ગંધારૂ ખાવાનું અને પાછા એ જ ચોપડીઓના થોથા પકડવાના.આમ કરતા કરતા માણસ કોઈ ગ્રેજ્યુએટ થઇ જાય છે ત્યારે ખબર પડે છે કે ગ્રેજ્યુએટની કોઈ વેલ્યુ નથી પોસ્ટગ્રેજ્યુએટ થવું જ પડે. એટલે પાછો પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસક્રમ માટે એડમિશન માટે તનતોડ મહેનત કરવાની અને જો એડમિશન મળી જાય તો પાછા ૨ -૩ વર્ષ ત્યાં જઈને મહેનત કરવાની અને ત્યારે જઈને પોસ્ટગ્રેજ્યુએટ ની પદવી મળે છે. ત્યાં ખબર પડે છે કે હવે તો પોસ્ટગ્રેજ્યુએટ ની પણ કોઈ વધારે વગ રહી નથી હવે તો સુપરસ્પેશિયાલિટી અથવા તો ફીલ્ડમાર્શલ થવું પડે છે. હવે આટ આટલું ભણ્યા પછી માણસને એમ તો થાય જ કે આટલું તો કરી જ નાખવું જોઈએ. એટલે પાછો એ પદવીની ખોજ માટે પોતાના પગ અને બુદ્ધિ દોડાવવા લાગે છે. આમ કરતા કરતા ઘસાતા પીસાતા ૩૪- ૩૫ વર્ષ ની વય થઇ જાય છે. ત્યારે ટે પોતાના ભણતર નો ઉપયોગ કરવા નીકળે છે.ટે તેને કેટલું ઉપયોગી બનશે અને તેને કેટલો સુખી બનાવશે એ તો દુર ની વાત છે પણ એટલું તો પાકું છે કે આજ ના યુગમાં માણસની એવરેજ આયુ ૬૦ વર્ષ ની છે.તેમાંથી ટે ૩૫ વર્ષ ભણવામાં બગાડે છે.જે તે અતિ કષ્ટ વેઠીને વિતાવે છે અને પછીના સમયની ખબર નહિ શું થાય. આમ માણસ પોતાની જિંદગીનો સૌથી મહત્વનો અડધો ભાગ ભણતર માં વિતાવી દે છે જે ખરેખર તેના પોતાના જીવંત જીવનને જીવવાનો સમય છે. હવે બાકીનો વધેલો સમય તો તે પાછો બીજાના માટે જોવાતો થઇ જશે. તેમ છતાં માની લઈએ કે ભણ્યો છે એટલે સુખી થઇ જશે તો તે પણ સરસર ખોટું જ છે. આપણે અવલોકન કરીએ છીએ કે જે જેટલું વધારે ભણ્યો છે જેટલી મોટી પદવી છે તે કદાચ વધારે માનમોભો મેળવે છે. વધારે પૈસા કમાય છે પરંતુ તેની પાસે પોતાના માટે અથવા પોતાના સ્નેહીજનો માટે સમયનો અભાવ છે તે પોતાને તનાવપૂર્ણ મહેસુસ કરે છે. દુનિયાભરના ટેન્શનનો અનુભવ થાય છે. તેને ત્યાં સુધી કે તેને પોતાના ઊંઘવા માટે નીંદર ની ગોળીઓ ખાવી પડે છે. તેમ છતાં તેમને નીંદરનો અભાવ હોય છે. બીજી તરફ જે ઓછું ભણ્યા છે તે મસ્તમજાની આરામ ની ઊંઘ લે છે. તેવી જ રીતે આપણે અવારનવાર સમાચાર પત્રકો, ન્યુઝ ચેનલોમાં અને રેડીઓમાં સંભાળતા આવીએ છીએ કે આ માણસે આત્મહત્યા કરી. તેમાં પણ બધા ભણીગણીને મોટા થનાર ઉંચી પદવી મેળવનાર માણસો જ સૌથી વધારે આત્મહત્યા કરતા હોય છે. આમ મને સમજાતું નથી કે ભણતર માણસને કઈ રીતે સુખી બનાવે છે. પોતાની બહુમૂલ્ય જિંદગીનો અડધોથી વધારે ભાગ ભણવામાં ગુજારનાર માણસ પોતાના ઘર પરિવાર, માં – બાપ, મોજ મસ્તીના દિવસો, પૌષ્ટિક આહાર અને ઘણું બધું ત્યાગ કરે છે. ફક્ત ભણવા માટે અને તે દરમ્યાન તે ડગલે ને પગલે દુ:ખી થાય છે. તો મને કોઈ એમ સમજાવશે કે જીંદગી નો અડધો હિસ્સો દુ:ખી થઈથઈને ભણવાનું એ માટે કે જીવનનો બાકી વધેલો સમય સુખાકારી થશે, જીંદગી સુધરી જશે. માણસ ક્યારે સમજશે કે જો પોતાની જિંદગીનો બહુમૂલ્ય સમય વેડફ્યા બાદ ક્યા સૂખ ની પ્રાપ્તિની તે વાત કરી રહ્યો છે. તેમ છતાં આજ કાલ આવાજ વાયરા વાય છે અને બધા આ વંટોળિયામાં ફસાયા છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે અમને આમાંથી બચાવી લે અને બધાને સદબુદ્ધિ આપે કે ભણતર જીવનમાં જરૂરી છે પણ એ વર્તમાન સુખને ત્યાગીને કાલ્પનિક ભવિષ્યના સુખની પ્રાપ્તિ માટે ન હોવું જોઈએ.
સુખ ની શોધ ભાગ - ૨
આહાહા! દુનિયામાં કોઈ એવો માણસ કદીપેદા થયો હશે ? જે સુંદર હોવું કે થવું નહિ ચાહતો હોય. હું ખાત્રીપુર્વક કહી શકું કે સર્વે કરવામાં આવે તો એક પણ એવો માણસ ના મળે જે સુંદર હોવું ના પસંદ કરે અથવા કદરૂપો હોવું પસંદ કરે. આપણે આપણા જીવનમાં ડગલેને પગલે અવનવા મોઢેથી સાંભળ્યું હશે કે પેલી છોકરી કેટલી સુંદર છે અથવા પેલો છોકરો કેટલો રૂપાળો છે. તમામ માણસો જગતમાં સુંદર દેખાતા માણસ જેવું બનવાની મનમાં ઘેલછા રાખતા હોય છે. આજકાલ સિનેમાના યુગમાં છોકરા છોકરીઓ પોતાના ચહિતા કલાકારો, હીરો હિરોઈન જેવું બનવા માંગે છે. પોતાના શરીરને રૂપાળું બનાવવા માટે અવનવા અટપટા,ભલાભુંડા પેંતરા કરવામાં જરા પણ બાકી રાખતા નથી.જ્યાંસુધી માણસને કોઈના જેવું બનવાની ઈચ્છા નથી હોતી ત્યાં સુધી તે ભગવાને આપેલ તેના પોતાના શરીરને જ મસ્ત સમજીને સુખી આનંદિત રહેતો હોય છે. પણ જ્યારથી તે પોતાને બીજાની જેમ બનાવવા માંગે છે ત્યારથી તે અવનવા ચિત્રવિચિત્ર પ્રયાસો કરીને પોતાની જાતને રગદોળવાનું ચાલુ કરી દે છે. આજકાલના નવયુવાનો, જવાનોને જો કોઈ શારીરિક પરિશ્રમ નું કામ બતાવવામાં આવે તો તુરંત કહે છે હું ના કરી શકું,મેં કડી કર્યું નથી.આ તો મજુરીનું કામ છે હું તો થાકી જાઉં. મારી કમર ભાંગી જાય. વગેરે વાતો કરીને કામ ના કરે. પરંતુ તે જ જવાનિયો કલાકો સુધી કોઈ મોંઘાદાટ જીમ માં જઈને શરીરને સુંદર દેખાવળું બનાવવા તનતોડ મહેનત કરે છે. તે એવું વિચારતો હોય છે કે સલમાનખાન જેવો બોડી બની જાય તો કેટલો મસ્ત લાગુ. પરંતુ તે ભૂલી જાય છે કે સલમાન ખાન એક અલગ મનુષ્ય છે અને તે એક બીજો માનવ છે. બંનેના શરીર અલગ અલગ રચના ધરાવે છે. જે ડોલા સોલા, માંસપેશીઓ વાળું શરીર સલમાનને સુંદર બનાવે છે તે જ માંસપેશીઓ તેને અને બીજા ઘણાને કદરૂપો પણ બનાવી શકે. ચાલો માની લઈએ લે વ્યવસ્થિત શરીર બનત અતે સુંદર લાગશે, પણ એટલું તો વિચારવું જોઈએ ને કે વરસોની તનતોડ મહેનત પછી થોડો સુંદર લાગવા તે પોતાની જાતને રોજ કેટલી દુ:ખી કરે છે. આપણે ઘણા બધા તો મહત્વાકાંક્ષી જુવાનીયાઓને રોજરોજ એવું કહેતા સંભાળ્યા હશે કે આજ હાથ દુખે છે,પગ દુખે છે અને ઘણા બધા તો આવેગ માં આવીને એટલી બધી કસરત કરી જાત હોય છે કે તેનાથી થતી પીડાને મટાડવા માટે ચિકિત્સકો નો સહારો લેવો પડતો હોય છે. આટલી બધી વેદના ઉઠાવતા પણ તેને વ્યવસ્થિત શરીર ના બને એટલે તેની સાથે સાથે તેને પોતાના ચટપટા સ્વાદિષ્ટ રોજબરોજ ના ખોરાક પર કાબુ રાખીને સ્વાદવિહોણા એવા ખોરાક પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરવું પડે છે, જે તેને સ્વાદ નહિ શરીર બનાવવામાં મદદ કરે છે. આમ શરીર બનાવવાના મોહમાં પોતાની સ્વાદેન્દ્રીયોને દુ:ખી કરીકરીને જીવતા હોય છે. અને તેમાં પણ એતો પાકું નથી કે શરીર બનશે પણ એતો પાકું જ છે કે સ્વાદેન્દ્રીયોને દુ:ખી કરે છે. આતો થઇ પુરુષોની વાત. પોતાને સુંદર દેખાવવાળું બનાવવાની હોડ માં પુરુષો કરતા સ્ત્રીઓ હજારો ગણી આગળ છે. મોટા મોટા શહેરોથી લઈને નાનામાં નાના ગામમાં રહેતી કન્યાઓ કે સ્ત્રીઓ તમામે તમામ પોતાની જાતને સુંદર બનાવવા જાતજાતના ચિત્ર વિચિત્ર પેંતરા કરતી જોવા મળે છે. એમાં પણ આ એકવીસમી સદીના સીરીયલોના જમાનામાં બાપરે બાપ સ્ત્રીઓએ તો મજા મૂકી દીધી છે.સીરીયલોના સ્ત્રીપાત્રને જે સુંદરતાથી દેખાડવામાં આવે છે કે એને જોઈ જોઈને આજકાલ ની નારીઓના મોઢામાંથી પાણી નીકળી જાય છે. આમ તો હું સીરીયલો જોતો નથી પણ ઘણી વખત ઘરમાં સ્ત્રીઓ સીરીયલો જોતી હોય ત્યારે બેઠો હોઉં ત્યારે સીરીયલ જોતી નારીઓ પર આવતા પ્રતિભાવો ઘણી બારીકાઈથી જોતો હોઉં છું. એક તરફ મને મજા આવતી હોય અને બીજી તરફ જીવ પણ બળતો હોય કે આમને કોણ સમજાવે કે જે તે જોઈ રહ્યા છે તે બધું બનાવતી છે અને તે ફક્ત પ્રેક્ષકોને આકર્ષવા બનાવ્યું છે. નકામું છે ભાઈ, સ્ત્રીઓને સમજાવવું નકામું. સીરીયલોના પાત્રની સુંદરતા જોઈને અવનવા ઉદ્દગારો નીકળતા હોય છે, જેમ કે આહાહા કેટલી સુંદર લાગે છે,કેટલી મસ્ત સદી પહેરી છે, કેટલો સુંદર સેટ છે, એકદમ પરી જેવી લાગે છે. આમ સીરીયલોમાં દેખાડેલ કાલ્પનિક સુંદરતાને જોઈને પોતાની જાતને તેવી બનાવવા માટે માથાવા લાગે છે. તેવી સુંદરતા પામવા અવનવા ઉપાયો કરે છે. જેમ કે મુલતાની માટીનો લેપ, મધનો લેપ, ગુલાબજળનો ઉપયોગ, બ્લીચીંગ, એલોવેરાનો અજુગતો ઉપાય, ફેસિયલ, લીપસ્ટીક ના લપેડા, પાવડરના થથેડા,ક્રીમોનો લેપ,મોઢે દુપટ્ટો બાંધી રાખવો. વળી એક વાતતો સમજાય નહિ પહેલા સુંદર બનવા ટૂંકા સ્લીવલેસ કપડા પહેરે અને પછી સૂર્યથી બચવા લાંબા મોજા પહેરે અને તે પહેલા સનસ્ક્રીન લોશનના લપેડા કરે.કપડાની દુકાને જઈને સીરીયલમાં કોઈ એક પાત્રે પહેરેલ વસ્ત્રના જેવું ગોતવા પગના તળિયા ઘસી નાખે અને લાવ્યા પછી પાછા ત્રણ વખત બદલવા જાય. તેમ છતાં સુંદર તો દેખાય જ નહિ. આમ કરતા પણ જો તે સુંદર દેખાઈ જાય તો તે સુખી કહેવાય એવું તે બધાનું માનવું છે. પરંતુ તે ફક્ત અને ફક્ત ભ્રમ છે. જે વ્યક્તિને સુંદરતા ભગવાનના આશીર્વાદ રૂપે જન્મથી મળી છે તેને જરા પૂછીએ ત્યારે ખબર પડે કે તે સુખી છે કે દુ:ખી. સામાન્ય રીતે આપણે જોઈએ તો સુંદરતાનું સૌથી મોટું માપદંડ ચામડીના રંગ પર આધારિત છે. જેની ચામડી સફેદ હોય છે તેને આપણે સુંદર કહેતા હોઈએ છીએ. શું જગતમાં કોઈ એવો માનવી હશે જેને ગોરી ચામડી નથી જોતી? ના રે ના . બધા જ માનવીઓ ગોરી ચામડીની ઝંખના રાખે છે. શું જેની ચામડી ભગવાને સફેદ, આકર્ષક બનાવી છે તે સુખી છે? મેં તો ઘણી વખત નિહાળ્યું છે એટલે કહું છું જેને સફેદ ત્વચા છે તે સૂરજદાદાની રોશની થી પણ ડરે છે. તેમનાથી સુર્યપ્રકાશ સહન નથી થતો. પ્રકાશ થી બચવા પોતાનો ચહેર અને શરીર ને ઢાંકીને રાખે છે. બપોરના સમયે બહાર નીકળતા પહેલા હાજર વખત વિચાર કરે છે. થોડી પણ ગરમી હોય તો સફેદ માણસોને પીડા થવા લાગે છે. જયારે રૂપાળા છોકરા છોકરીનો જન્મ થાય છે ત્યારે તેને પ્રથમ વખત નિહાળનાર તમામ માણસોના મુખેથી એવા ઉદ્દ્ગારો નીકળે છે કે કેટલો રૂપાળો કે રૂપાળી છે કોઈ ની નજર ના લાગી જાય. અને એ જ ડર થી તેના પલાન્હારો તેની સુંદરતાને ઓછી કરવા તેના ચહેરા પર કાળો ડાઘ કરતા હોય છે. એવું માની ને કે એમ કરવાથી તેમના સંતાન પર કોઈની નજર નહિ લાગે. સુંદર રૂપાળી છોકરી ઘરની બહાર નીકળતા પહેલા હજારો વખત વિચારે છે. કેમ કે બહાર નીકળે છે ત્યારે તમામ પુરુષોની નજર તેના પર પડે છે અને તેમના મુહમાંથી અવનવા સારા અને ખરાબ ઉદ્દગારો નીકળે છે. ઘણા બધાતો તેને અવનવા ખરાબ સંબોધનોથી પુકારે છે અને ઘણા નરાધમો તો શારીરિક છેડતી પણ કરે છે. આમ એ જ રૂપાળું શરીર જેની ઝંખના બધા કરતા ફરે છે તે જેને મળે છે તેને જીવવું મુશ્કેલ બની જાય છે. આમ રૂપાળું શરીર પામવાથી કોઈ માણસ સુખી નથી થઇ જતો. સુંદર શરીર હોવાના કારણે માણસ સુખી થઇ જાય છે તે બધાનો ફક્ત અને ફક્ત ભ્રમ છે.
--ઝાલોડિયા અલ્કેશ
Sunday, April 17, 2011
સુખ ની શોધ ભાગ - ૧
સુખ ની શોધ ભાગ -૧
બચપણ થી લઈને જીવનના અંત સુધી,પૃથ્વી પર અવતરતા તમામ જીવોનું એક જ લક્ષ્ય હોય છે કે સુખી થવું છે.આપણે મનુષ્ય છીએ અને ફક્ત આપણી જ વાત કરીએ તો દુનિયાના બધા જ માનવી અમેરિકન,અંગ્રેજી કે પછી આપણે ભારતીય,ગરીબ હોય કે પછી અમીર,કાળો હોય કે પછી ગોરો,સ્ત્રી હોય કે પછી પુરુષ.સઘળા માનવી પોતાના બાળોતિયથી લઈને ઠાઠડી સુધીની લાંબી યાત્રામાં એક જ વાતની શોધ કાર્ય કરે છે,સુખ.જ્યારથી હું જન્મ્યો છું ત્યારથી આજ સુધી માં મારી ૨૭ વર્ષની જીવન યાત્રામાં હું બધા જ માણસ ની જેમ એ જ બે અક્ષરના ભારીભરખમ શબ્દ ની શોધ માં જોડાઈ ગયો છું.જો હું ફક્ત મારી જ વાત કરું તો જયારે જયારે મને એમ લાગે કે બસ આ રહ્યું સુખ,ફક્ત બે ડગલા ચાલવાનું છેછે અને હું સુખી થઇ જઈશ,ત્યારે ત્યારે ત્યાં પહોંચતાની સાથે મને લાગે છે , સુખ જેટલું દુર લાગતું હતું તેનાથી હવે બમણું દુર થઇ ગયું છે અને હું ત્યારે સુખી થવાને બદલે પોતાની જાતને પહેલાથી પણ વધારે દુ:ખી મહેસુસ કરું છું.કુદરતની આ અદ્ભુત રચના પૃથ્વી પર જ્યારથી મારો પ્રવાસ શરુ થયો ત્યારથી આજ સુધી હું અસંખ્ય માણસોના સંપર્કમાં આવ્યો છું.અલગ અલગ ચિત્ર વિચિત્ર સંજોગોમાં માણસોને જોયા છે,અલગ અલગ જગ્યાઓ પર માણસોને જોયા છે ,જુદા જુદા સંજોગોમાં જુદા જુદા સંબંધો અને સગાવહાલા સાથે જોયા છે.પણ તમામ અનુભવના અંતે હું તમને એ ચોક્કસ કહી શકું છું કે બધા એ જ સુખી થવાના ફોર્મ્યુલાની નિષ્ફળ શોધમાં પડ્યા છે. હું જરા વિસ્તૃત કરું તો, ગરીબ માણસ એમ સમજે છે કે તે અમીર થઇ જાય તો સુખી થઇ જાય,કાળો માણસ સમજે છે કે તે ગોરો થઇ જાય તો સારું થઇ જાય, અભણ સમજતો હોય છે કે ભણ્યો હોત તો સારું થાત.ડોકટર કે એન્જીનીયર બનીને જલસા કરેત.નાનો સમજે છે કે મોટો થઇ જાઉં તો સારું બધાનું માનવું તો ના પડે પોતાની રીતે કાંઈક કરી શુકુ.કુંવારા સમજે છે કે પરની જાઉં તો સારું પત્ની હોય તો મજા આવી જાય, સ્ત્રી સમજે છે કે પુરુષ હોઉં તો સારું ઘરમાં મારું તો ચાલે, વહુ સમજે છે સાસુ બનું એટલી વાર છે વહુ પર દાદાગીરી કરવા તો થાય, સંસારી સમજે છે કે સન્યાસી સારા કોઈ જગતની ચિંતા તો નહિ. આવું તો ઘણું છે, કેવાનો મતલબ ક્યાં કોણ સુખી છે? સુખ ક્યાં છે? ક્યાં છે આ સુખ? શું અમીર માણસ સુખી છે? સફેદ ચામડી વાળા સુખી છે? ભણેલા સુખી છે? મોટા સુખી છે? પરણેલા સુખી છે? પુરુષો સ્ત્રી કરતા વધારે સુખી છે? સન્યાસી સંસારી કરતા વધારે સુખી છે? ના ના ના એવી જરા પણ માન્યતામાં ના રહેતા , આ બધા માંથી કોઈ સુખી નથી એ હું તો કહું જ છું પણ તમે બધા ભલીભ્રાંતિ જાણો છો. નથી માનવામાં આવતું? ચાલો હું તમને ભ્રમિત લગતા આ સુખના દાખલા લઈને ચર્ચા કરવું.
ગરીબોનું એવું માનવું છે કે અમીરો સુખી છે, તેથી દુનિયાના તમામ ગરોબો તવંગર બનવા માંગે છે. તવંગર બનવા માટે અવનવા સાચા – ખોટા, સરળથી સરળ અને અઘરામાં અઘરા રસ્તા અપનાવે છે. ચોરી કરે, મારપીટ કરે, દગાબાજી કરે, અને ખુન પણ કરે. ફક્ત અને ફક્ત એમ સમજીને કે પૈસા મળતા પૈસાદાર થઈને તે સુખી થઇ જશે અને મજાની જીંદગી ગુજારશે. પરંતુ તેઓ બધા જ ભ્રમિત છે, તેઓ સમજે છે કે પૈસા થી સુખ મળે છે. હક્કીકત એકદમ વિપરીત છે. પૈસા થી માણસ સુખી જરૂર લાગી શકે , પરંતુ પૈસાદાર માણસ સુખી જ હોય તે બિલકુલ આવશ્યક નથી . મેં અને તમે બધા એ આપણી જીંદગી માં ઘણા માણસોને એવું કહેતા સંભાળ્યા હશે કે પેલા ભાઈ જેટલા પૈસા હોય તો બસ બીજું કાંઈ ના જોય.જયારે આપણે તે માણસ ને પૂછીએ ત્યારે તે કહેતો હોય કે ફલાણા જેટલા પૈસા આવી જાય તો શાંતિ થાય અને સુખેથી જીવી શકાય. સત્ય છે કે આપણે આપણાથી પૈસાદાર ને સુખી સમજીએ છીએ અને તેની બરાબરી કરીને દુ:ખી થિયે છીએ. જયારે આપણી પાસે હાજર રૂપિયા હોય છે ત્યારે પણ આપણે જીવી શકીએ છીએ અને ત્યારે આપણી ઈચ્છા લાખો કમાવાની હોય છે.જયારે આપણે લખપતિ હોઈએ ત્યારે પણ જીવતા હોઈએ છીએ અને ત્યારે આપની ઈચ્છા કરોડો કમાવવાની થઇ જાય છે.આપણે હજારો માંથી સુખી થવા લાખો કમાઈએ છીએ.લાખોમાંથી સુખી થવા કરોડો કમાઈએ છીએ. પણ આપણે ફક્ત પૈસા કમાઈએ છીએ સુખ નથી કમાતા. જીવનની આ ભાગદૌડ માં આપણે ઘણા એવા તવંગર ,ધનવાન અથવા ધનકુબેરોના સંપર્કમાં આવ્યા છીએ.જેમના પાસે ધનની કોઈ સીમા નથી તે છતાં તે પોતાની જાતને દુનિયાનો સૌથી દુ:ખી માણસ ગણાવતો હોય છે. કેમ? સામાન્ય કારણો ગણવા બેસીએ તો ધનની લાલચમાં માણસ એટલો ખોવાઈ જાય છે કે તેના પોતાના સ્નેહીજનો માટે સમય નથી બચતો. સૌથી સામાન્ય બાબતોમાં જોઈએ તો મોટા મોટા બિઝનેસમેન જે કલાકોમાં લાખો કમાતા હોય ,તેની પત્નીઓ માટે તેમના માટે સેકન્ડોમાં સમય હોય છે. પત્ની પતિની રાહ જોઈ જોઈને બેથી હોય છે ને પતિ ધનના ઢગલા કરવા બેઠો હોય. પરિણામ એવું આવે છે કે પત્ની પતિના સંબંધો કમજોર થતા જાય છે. પત્ની પતિથી તલાક કરે છે. ઘણા કિસ્સામાં પત્ની પોતાના શારીરિક સુખ ની પ્રાપ્તિ માટે બીજા કોઈ સાથે અજુગતા સંબંધો બાંધે છે. આવી જ રીતે બાપ-બેટા ના સંબંધોમાં થાય છે. પુત્ર પોતાના જન્મદાતા પિતાને ફક્ત એ માટે પિતા કહેતો હોય છે કે ટે તેના ધનસંપત્તિનો વારસદાર હોય છે. બાકી બંને વચ્ચે પીતાપુત્રમાં હોવો જોઈએ તેવા કોઈ સંબંધ હોતા નથી. ધનની પ્રાપ્તિ માટે માણસ એટલો વ્યસ્ત થઇ જાય છે કે તેના માટે ઊંઘવાનો પણ સમય રહેતો નથી.જો સમય મળે છે તો મગજ પૈસા કમાવાની ધૂન માં એટલું ફરતું થઇ ગયું હોય કે તેને ઊંઘ આવતી નથી. અરબો રૂપિયાનો માલિક એક શાંતિ ની ઊંઘ માટે તડપતો હોય છે. ઊંઘ ની ગોળીઓ ખાવાનું તેના માટે સામાન્ય થઇ ગયું હોય છે., રોજ ઊંઘવા માટે ગોળીઓ ખાવી પડે છે.આમ કરતા કરતા એક દિવસ એવો આવે છે કે શેઠ રાત્રે ગોળીઓ નો ઢગલો ખાઈને ઊંઘવા જાય છે અને સવારે તેના ઘરના નોકરો શેઠનો પોતાનો ઢગલો પ્રાપ્ત કરે છે.અખબારમાં બીજા દિવસે મુખ્ય સમાચાર આવે છે કે ફલાણા-ઢુંકણા શેઠે ઊંઘની ગોળીઓ ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું. પછી તેના આ મૃત્યુનું કારણ શોધવા ડેડબોડીનું પોસ્ટમોર્ટમથાય છે અને તેનાથી સંતોષ ના થતા મીડીયાવાળા તેના જીવનકથાનું પોસ્ટમોર્ટમ કરી કરીને જનતા સમક્ષ પ્રસ્તુત કરે છે.જેથી તેની આત્મા પણ દુ:ખી રહે તો ક્યાંથી પૈસાદાર સુખી થયો. તમામ માથાકૂટ ભરેલી આ ચર્ચાનો મર્મ એ છે કે પૈસા માણસ ને સુખી બનાવી શકે એ ભ્રમ છે. આથી જ કહું છું કે જે ગરીબ માણસ અથવા મધ્યમવર્ગના માણસો પૈસાથી સુખ ભાળે છે તે જરા પોતાના અંતર આત્માની આંખો ખોલે અને સમજી જાય કે પૈસો પોતાની જગ્યાએ બરાબર મહત્વ ધરાવે છે પણ સુખી ન બનાવી શકે. અંતમાં આપના ગુજરાતના સૌથી પૈસાદાર એવા રિલાયન્સ કંપનીના માલિક વિષે જાણીએ તો તેમના પાસે એટલા પૈસા છે કે તે દુનિયાની તમામ ચીજવસ્તુઓ ખરીદી શકે. પોતાની પત્નીના જન્મદિવસે અનિલ અંબાણીના ભાઈ મુકેશ અંબાણી હેલિકોપ્ટર ભેટ આપી શકે છે તેમ છતાં બંને સુખી નથી. જો બંને ભાઈઓ સુખી હોત તો તેમના વચ્ચે ઝઘડો ના થયો હોત. તેમની વિશાળ કંપનીના ભાગલા ન થયા હોત. અને ધીરુભાઈ અંબાણી તેમના પપ્પા રિલાયન્સના પાયોનીયરે જોયેલું સપનું પૂરું થયું હોત પરંતુ તેમ ના થયું અને ધીરુ ભાઈ અધોગતિએ મૃત્યુ પામ્યા અને હવે તેમના ધનાઢ્ય સુપુત્રો તેમની આત્મા ને દુ:ખી કરવા કોઈ કસર નથી છોડતા. એટલે કહેવાનું એટલું કે સુખની પ્રાપ્તિ માટે અમીરી કે ગરીબીનું કોઈ માન્ય નથી.
- ઝાલોડિયા અલ્કેશ.
Monday, January 31, 2011
માનસિક થાક ની અસર
Thursday, October 7, 2010
chating with god
એક વખત હું મારા લૅપટૉપ પર ચેટિંગ કરતો હતો. ત્યાં મને ઈશ્વરનો ઓનલાઈન ભેટો થઈ ગયો.
ઈશ્વર : ‘શું તું મારી સાથે ચેટિંગ કરવા માંગે છે ?’
હું : ‘ના, મેં તમને બોલાવ્યા નથી. તમે કોણ છો ?’
ઈશ્વર : ‘વત્સ ! હું આ સમસ્ત બ્રહ્માંડનો અને આ સૃષ્ટિનો સર્જક છું….ઈશ્વર છું.’
હું : ‘હું કેવી રીતે માનું કે તમે ઈશ્વર છો ? તમારા જેવા તો ઘણા પોતાની જાતને અહીં ‘ભગવાન’ કહેવડાવે છે.’
ઈશ્વર : ‘માનવું કે ન માનવું એ તારી મરજીની વાત છે. મને તેનાથી કોઈ ફરક નથી પડતો. તને જો તારી જાતમાં વિશ્વાસ ન હોય તો પછી મારામાં ક્યાંથી હોય ?’
હું : ‘ઓ.કે. પરંતુ હું અત્યારે નવરો નથી. તમારી સાથે વાત કરવાનો મને સમય નથી. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું ?
ઈશ્વર : ‘વ્યસ્ત તો કીડી મંકોડા પણ આખો દિવસ હોય છે !’
હું : ‘તમને ખબર નથી કે અમારે કેટલું કામ હોય છે. જિંદગી કેટલી ઝડપી થઈ ગઈ છે. અત્યારે ‘પીક અવર્સ’ચાલે છે.
ઈશ્વર : ‘ભાઈ, સવારના પહોરમાં તું છાપાઓમાં ભરેલો દુનિયાભરનો કચરો મગજમાં ઠાલવે છે. એટલું ઓછું હોય તેમ, અત્યારે તારા ‘પીક અવર્સ’માં ઈન્ટરનેટથી બીજા વધારે કચરાનો ઉમેરો કરે છે. આને તું વ્યસ્તતા કહે છે ? તને તારા માટે ફુરસદ ન હોય તો મારા માટે તો ક્યાંથી હોય ? પણ મને થયું ચાલ, ઈન્ટરનેટ પર તો તું ચોક્કસ મળી જ જઈશ અને તને એ વધુ અનુકૂળ પડશે; જેમ તું તારા પુત્રોને મોબાઈલ પર જ મળી લે છે ને તેમ !’
હું : ‘જો તમે ખરેખર ઈશ્વર હોવ તો મને જવાબ આપો કે જિંદગી આટલી બધી ગુંચવણભરી કેમ બની ગઈ છે?’
ઈશ્વર : ‘જિંદગીનું બહુ પિષ્ટપેષણ કરવું સારું નહિ. અતિશય ઉપભોક્તાવાદ અને આડેધડની તૃષ્ણાઓ ઓછી કરીને સહજ રીતે જીવ, બેટા !’
હું : ‘તમને ખબર છે કે અમારું જીવનધોરણ કેટલું ઊંચું થઈ ગયું છે ?’
ઈશ્વર : ‘હા, ફક્ત તારું જીવનધોરણ જ ઊંચું ગયું છે, જીવન ઊંચું નથી ગયું… એ જ તો તકલીફ છે ને !’
હું :‘તો શું અમારે પાછા જવું ? પાછા ફરવું તો અમારે માટે શક્ય જ નથી.’
ઈશ્વર : ‘મેં તને પાછા ફરવાનું કહ્યું નથી, પરંતુ ધારે તો તું નવેસરથી શરૂઆત તો કરી શકે ને ? ટેકનોલૉજીએ ઊભા કરેલા તારા પ્રશ્નોને દૂર કરવા માટે તારે જ કોઈ નવી ટેકનોલોજી વિકસાવવી પડશે !’
હું : ‘અમે કાયમ ઉદાસ, નિસ્તેજ અને દુ:ખી કેમ હોઈએ છીએ ?’
ઈશ્વર : ‘હરીફાઈમાં સતત આગળ નીકળવા તેં તારી જાતને ‘ઉંદરદોડ’માં મૂકી દીધી છે. પહેલાં તું સફળતા માટે દોડતો હતો, હવે તું સફળતા ટકાવી રાખવા દોડે છે ! આમ, તારા માટે દોડાદોડ કરવા સિવાય કશું જ બચ્યું નથી. તું હવે તો ખડખડાટ હસવાનું પણ ભૂલી ગયો છે. સતત ચિંતા કરવી અને અસલામતીનો ભય રાખવો એ જ હવે તારો સ્વભાવ થઈ ગયો છે. તો પછી ઉદાસ ને દુ:ખી જ રહેવાય ને ?’
હું : ‘પણ તમને ખબર છે કે અમે સતત લટકતી તલવાર નીચે કામ કરતાં હોઈએ છીએ. અમારે અમારા ટારગેટ સમયસર પૂરા કરવાના હોય છે અને બીજી બાજુ મકાનના હપ્તાં, બાળકોની ફી ભરવાની હોય છે. કોઈક વાર તો ગાડીના હપ્તાં ભરવાના પણ બાકી રહી જાય છે. તો પછી ચિંતા કેમ ન થાય ? ભાવિ બધું જઅનિશ્ચિત દેખાય છે.’
ઈશ્વર : ‘એ તો ભાઈ જો, જગતમાં મૃત્યુ સિવાય બધું જ અનિશ્ચિત છે. કેટલી બાબતોની ચિંતા કર્યા કરીશ ?ચિંતા કરવી કે નહીં એ તારા હાથની વાત છે.’
હું : ‘પણ એ દરેક અનિશ્ચિતતા સાથે દર્દ, પીડા અને પરેશાની જોડાયેલી હોય છે,એનું શું ?’
ઈશ્વર : ‘વ્હાલા દીકરા ! મેં તારું સર્જન તને પીડા કે દુ:ખી કરવા નથી કર્યું. જો એવું હોત તો મેં તારા જન્મ પહેલાં તારા દૂધની વ્યવસ્થા ન કરી હોત. જિંદગી દુ:ખી થવા માટે નથી. આ બધી પીડા તો તેં તારી જાતે જ ઊભી કરેલી છે. દુનિયાની દોડમાં તું બરાબર ફસાયો છે. કાદવમાં ફસાયેલો માણસ કાદવમાં વધારે ઊંડો ઊતરતો જાય એવું છે ! તેં વાઘ પર સવારી માંડી છે અને હવે તું ગભરાય છે કે વાઘ મને ફાડી ખાશે !
હું : ‘પ્રભુ ! ખરૂં પૂછો તો આટલી બધી પીડાઓ, મુશ્કેલીઓ વચ્ચે અમે કઈ રીતે જીવીએ છીએ એ જ ખબર નથી પડતી.’
ઈશ્વર : ‘તું સતત બહાર ભટકીને ખરેખર થાકી ગયો છે. જરાક તારી અંદર ખોજ કર. થોડું આત્મદર્શન કર. એમ કરીશ તો તને ખબર પડશે કે તું ક્યાં જઈ રહ્યો છે.’
હું : ‘તમે તો ઈશ્વર છો, તો મને કપરા સંજોગો અને મુશ્કેલીના સમયમાં ટકવાની ચાવી બતાવો ને !’
ઈશ્વર : ‘તારામાં પણ અપાર શક્તિ છે.એને ઓળખવાની કોશિશ કર. મુશ્કેલીઓનો સામનો કરવાનો એ જ ઉપાય છે. થોડી ધીરજ, હિંમત, વિશ્વાસ અને ઉત્સાહ રાખ. કપરાં સંજોગો પણ કાયમ કપરાં રહેતાં નથી, એ પણ વહી જવાના છે.’
હું : ‘ચલો, એ તો બરાબર. પણ મને એ પ્રશ્ન થાય છે કે દુનિયામાં લોકો આટલા બધા સ્વાર્થી કેમ થઈ ગયા છે?’
ઈશ્વર : ‘લોકો જેવા છે તેવા સ્વીકારી લે. બીજાને બદલવાનો મિથ્યા પ્રયાસ ન કરીશ. તારી જાતને ઓળખીને તેને બદલવા કોશિશ કર.’
હું : ‘એ તો હું સમજ્યો પણ મને એ નથી સમજાતું કે દુનિયામાં સારા માણસોને જ કેમ સહન કરવું પડે છે ?’
ઈશ્વર : ‘બેટા, સારા માણસોની જ કસોટી થાય છે. સોનું કસોટીમાંથી શુદ્ધ થઈને બહાર આવે છે. એ રીતે પ્રશ્નો,મુશ્કેલીઓ હકીકતે આંતરિક શક્તિ અને સહનશીલતા વધારે છે.’
હું : ‘તમે હાલની માનવજાત માટે શું માનો છો ?’
ઈશ્વર : ‘એ જ કે, પૈસા મેળવવા માટે સ્વાસ્થ્ય ગુમાવે છે અને પછી સ્વાસ્થ મેળવવા પૈસા ગુમાવે છે ! અર્થાત પૈસાનું પાણી કરે છે ! બાળપણમાં કંટાળો અનુભવે છે અને ઘડપણમાં બાળપણ ખોળે છે. યુવાનીમાં તો એ રીતે જીવે છે જાણે કે કદી મૃત્યુ આવવાનું જ નથી ! જ્યારે કોઈ મુશ્કેલી આવે છે ત્યારે કહે છે ‘મને એકલાને જ આવું કેમ ?’ બાકી ક્યારેય સુખમાં ‘હું એકલો કેમ ?’ એવો પ્રશ્ન એને નથી થતો.
હું : ‘પ્રભુ, તમે જિંદગીને ઉત્તમતાથી માણવાનું રહસ્ય મને કહો.’
ઈશ્વર : ‘તનેહંમેશા સામે કિનારે જ સુખ દેખાય છે. તારી પાસે જે કંઈ છે, જેટલું છે એને ભોગવ. જે નથી એની ચિંતા ના કરીશ. સતત ફરિયાદ અને સરખામણી ન કરીશ. સતત સરખામણી કરીને તેં તારા ઘરમાં પણ આગ લગાડી છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનને વિશ્વાસથી વધાવતાં ભવિષ્ય માટે તૈયાર રહે. નફરત અને નકારાત્મક વિચારો છોડી દે નહીં તો એ વધુ જોરથી તારી પાસે આવશે. બીજાને પ્રેમ કર તો આપોઆપ લોકો તને પ્રેમ કરશે. થોડુંક્ષમા આપવાનું પણ રાખ.’
હું : ‘મારો એક છેલ્લો સવાલ એ છે કે મારી પ્રાર્થનાઓ કોઈ દિવસ તમને સંભળાય છે ખરી ?’
ઈશ્વર : ‘બધી જ સંભળાય છે પરંતુ જવાબ આપવાની મારી રીત જુદી હોય છે. મારા જવાબો ભવ્ય પર્વતો,ઝરણાં, નદીઓ, સમુદ્રો અને વૃક્ષોની વનરાજીમાં છે. ભવ્ય સૂર્યોદય અને સૂર્યાસ્તમાં છે. દરરોજ એક સુંદર પ્રભાત થાય છે – આ બધા મારા જવાબો છે. પરંતુ તને તે જોવાની ફુરસદ જ ક્યાં છે ? ચાંદની રાતે કોઈકવાર ખુલ્લા આકાશ સામે શાંતચિત્તે થોડો સમય બેસીને મંદ મંદ વહેતા પવનની લહેરો કે તમરાનું મધુર સંગીત માણ્યું છે ? એ માણતાં શીખીશ તો તને મારા જવાબો મળી જશે.
હું : ‘આપને મળીને ખૂબ સારું લાગ્યું. આ વાર્તાલાપ માટે આપનો ખૂબ ખૂબ આભાર. મારા માટે કોઈ સંદેશ છે?’
ઈશ્વર : ‘વત્સ ! મારામાં શ્રદ્ધા રાખ. હું તને આ સંસારના બધા ભયોમાંથી મુક્ત કરી દઈશ. જિંદગી એક રહસ્ય છે પણ કોયડો નથી. મને યાદ કરજે, મારામાં નિષ્ઠા રાખજે. કદીયે હતાશ થઈશ નહીં. તું હાંક મારજે, હું અચૂક હાજર થઈ જઈશ કારણ કે તું મારું સર્વશ્રેષ્ઠ સર્જન છે. તું મને વ્હાલો છે.